Posts

Showing posts from October, 2021

અળસીના શકરપારા

Image
  અળસીના શકરપારા અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે  છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી.  આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્શિયમ અને ઑમેગા-૩ ફેટી એસિડ ધરાવતી અળસીનો ઉપયોગ કરકરા અળસીના શકરપારા બનાવવા કર્યો છે.  સાંજના નાસ્તા માટે આ શકરપારા ખૂબ જ મજેદાર લાગશે. By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી :-  ૧/૪ કપ   કરકરો અળસીનો પાવડર ૧ કપ   ઘઉંનો લોટ ૧ ટેબલસ્પૂન   જેતૂનનું તેલ ૧ ટેબલસ્પૂન   સૂકા મિક્સ હર્બસ્ ૧ ટીસ્પૂન   સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ મીઠું  , સ્વાદાનુસાર    બનાવવાની રીત :- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી (લગભગ ૧/૪ કપ) મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. તે પછી કણિકના ૨ સરખા ભાગ પાડી લો. કણિકનો એક ભાગ ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસના ગોળાકારમાં કોઇપણ લોટનો ઉપયોગ ન કરતાં વણી લો. તેની ચારે બાજુએથી થોડી કાપકૂપ કરીને આડો અવળો ભાગ કાઢી નાંખી પરિપૂર્ણ ચોરસ તૈયાર કરો. હવે આ ચોરસ પર ફોર્ક (fork) વડે

મૂળાની ભાજીનું શાક

Image
                        મૂળાની ભાજીનું શાક By:   Dietician   (Apex Diabetes Thyroid Hormone Clinic)   સામગ્રી  500 ગ્રામ મૂળાની ભાજી  5-6 ચમચી તેલ  2 ચમચી ચણાનો લોટ  2 સમારેલા લીલા મરચા  2 ચમચી લાલ મરચું 2 ચમચી ધાણાજીરું 1/2 ચમચી હળદર ચપટી હિંગ મીઠું સ્વાદાનુસાર  રેસીપી 1. સૌપ્રથમ મૂળાની ભાજીને ઝીણી સમારી લો અને એક બાઉલમાં તેને પાણીથી સાફ કરી નિતારી લો.  2. ત્યારપછી એક કડાઈમાં તેલ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે હિંગ ઉમેરો અને તેમાં સમારેલી મૂળાની ભાજી અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી દો.  3. ત્યારપછી તેને થોડા સમય પછી મીઠું અને હળદર ઉમેરી સાંતળવા દો, બધુ પાણી બળી જવા આવે એટલે ઉપરથી ચણાનો લોટ ભભરાવી તો અને બધો મસાલો મીક્સ કરી લો. બધો મસાલો મીક્સ થયા બાદ તેને હલાવી પાછું ઢાંકીને પાંચેક મિનિટ સાંતળો.  4. પછી સરસ મજાની મૂળાની ભાજી નુ શાક તૈયાર થઈ જશે અને તેને એક બાઉલમાં કાઢીને સર્વ કરી લો. ફાયદાઓ :-  1. ડાયાબિટીસ અને વજન બને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  2. અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે મૂળાના પાંદડા જેમાં સલ્ફરસ સંયોજનો હોય છે તે પરોપજીવી પેટના ચેપને અટકાવી શકે છે અને ઝાડાનાં લક્ષણોને દૂર